વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા તા-23 : અબડાસા તાલુકાની પ્રાથમિક શાળાના ગુડથર અને નરાનગર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં સંચાલકની ખાલી જગ્યા હોવાથી કેન્દ્ર પર નિમણૂક મેળવવા ઇચ્છતા અરજદારોએ તા.૨૯/૦૨/૨૦૨૩ સુધી અરજીઓ મામલતદાર કચેરી, પી.એમ.પોષણ ( મ.ભો.યો) શાખા, નલીયા ખાતે કચેરી સમય દરમિયાન રજૂ કરવી, અરજદારોએ પોતાના ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. ઉપરોક્ત કેન્દ્રોમાં સંચાલકની લાયકાત ધોરણ ૧૦ પાસ કે તેથી વધુ તથા ઉંમર વર્ષ ૨૦ થી ૬૦ વર્ષની વચ્ચે રહેશે તેવું મામલતદાર અબડાસાની અખબારી યાદીમાં જણાવાયું છે.