BODELICHHOTA UDAIPURGUJARAT

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા મથકે આવેલ સુપ્રસિદ્ધ બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી મંડળ ને રદ્દ કરવામાં આવ્યું.

તા.૨૬ ફેબ્રુઆરી ના રોજ છોટાઉદેપુર ના મે.મદદનીશ ચેરિટી કમિશનર શ્રી એ રદ્દ કરી દેતા છોટાઉદેપુર જિલ્લા માં ચર્ચા નો વિષય બની ગયો છે,વિગતવાર મળતી માહિતી અનુસાર હોસ્પિટલ ના વહીવટકર્તા ઓ એ વર્ષ ૨૦૨૨ માં ટ્રસ્ટી મંડળ માં ટ્રસ્ટી ઓ ની નવી નિમણુંક કરવાની હોય તે અંગે ના ફેરફાર રિપોર્ટ મે.મદદનીશ ચેરિટી કમિશનર શ્રી ની કચેરી માં રજુ કર્યા હતા,તેની સામે હોસ્પિટલ ટ્રસ્ટ ના પૂર્વ ટ્રસ્ટી નીતિનભાઈ ચોકસી અને હિતાર્થી હસમુખભાઈ નટવરલાલ ઠક્કર એ કાયદાનુસાર ટેકનિકલી વાંધા અરજી ચેરિટી કમિશનર કચેરીમાં દાખલ કરતા તે અંગેનો કેસ મે.મદદનીશ ચેરિટી કમિશનર શ્રી સમક્ષ ચાલી જતાં નીતિનભાઈ ચોકસી અને હસમુખભાઈ ઠક્કર ના વાંધા અરજી ને ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને તે સંદર્ભમાં મે.મદદનીશ ચેરિટી કમિશનર શ્રી છોટાઉદેપુર દ્વારા બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ ના ૩૧ સભ્યો ના ટ્રસ્ટી મંડળ ને રદ્દ કરી દેવામાં આવ્યું હતું, આ સમગ્ર કેસ નો અભ્યાસ કરતા એક વાત સ્પષ્ટ માલૂમ પડી હતી કે,હોસ્પિટલ ટ્રસ્ટ ના હાલના વહીવટકર્તા ઓ ને મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એકટ મુજબ ચેરિટી ટ્રસ્ટ ના કાયદા ઓ ના જ્ઞાન ના અભાવે સદર પરિસ્થિતિ નું નિર્માણ થતાં બોડેલી ના બુદ્ધિજીવી વર્ગ માં ચર્ચા નો વિષય બની ગયો છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!