GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધની મનપા તંત્ર દ્વારા કડક અમલવારી : બે દિવસમાં રુ. ૩૩,૫૦૦નો દંડ

ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક સપ્લાય ન કરવા માટે હોલસેલ વેપારીઓને નોટિસ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાશિવ રાત્રિના મેળા દરમિયાન ભવનાથ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે તંત્રએ જરુરી કાર્યવાહી હાથ ધરી છે. આ માટે ભવનાથ વિસ્તારમાં તા.૬ તથા તા.૭ એમ બે દિવસમાં પ્લાસ્ટિકનો વપરાશ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવતા રુ.૩૩૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે ખાસ ૨૦ કર્મચારીઓ સાથેની ૪ ટીમ બનાવવામાં આવી છે. જે વિવિધ દુકાનો તથા ઉતારા મંડળોમાં ફરીને પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે ચેકિંગ હાથ ધર્યું છે. આ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવે તો દંડ સહિત જરુરી કાર્યવાહી કરવામાં આવી છે.
ઇકો સેન્સેટિવ ઝોનમાં પ્લાસ્ટિકનો જથ્થો પૂરો ન પાડવામાં આવે તે માટે હોલસેલ વેપારીઓને પણ પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિક જથ્થો પૂરો ન પાડવા માટે પણ જૂનાગઢ મનપા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે, જેનું ઉલ્લંઘન કર્યે જપ્તી સહિતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૨૩-૨-૨૦૨૪ થી તા.૭-૩-૨૪ દરમિયાન પ્લાસ્ટિક વપરાશ કરનારને અંદાજે રુ.૭૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આજે પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે જાહેરમાં વેચાણ કરનાર સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તમામ ઉતારા મંડળ અને અન્ય જાહેર સ્થળોએ જાગૃતિ માટે પ્લાસ્ટિક પ્રતિબંધના બેનર સ્ટીકર લગાવવામાં આવ્યા છે. મોટી કચરા ટોપલીઓ પણ મૂકવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!