18 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા .
ઐતિહાસિક નગરી જ્યાં માઁ ચેહર માતાજીના બેસણા છે એવા નગર તેરવાડા તરીકે વિખ્યાત કાંકરેજની ધન્ય ધરા ના કાંકરેજ તાલુકાના તેરવાડા ખાતે આવેલ શ્રી એ.એસ.કોઠારી વિદ્યાલયમાં નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા વરિષ્ઠ શિક્ષક સોલંકી સંપૂજી જામાજી તા.૩૧ મે ૨૩ ના વયનિવૃત્તિ થતા તેઓનો વિદાય સન્માન સમારોહ ગત તા.૧૫ જુલાઈ ૨૩ ને શનિવારના રોજ સવારે સંસ્થાના સંચાલક એવમ કેન્દ્રીય મિનિસ્ટર સ્વ. જયંતિલાલ વિરચંદભાઈ શાહ ના સુપુત્ર હર્ષદભાઈ જે. શાહના (વડા) અધ્યક્ષ સ્થાને યોજાયો ત્યારે શાળા તરફથી સંપુજીને સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું.સંપૂજી સોલંકીએ આ પ્રસંગે શાળાના વિકાસ માટે ૪૧,૦૦૦/- રૂપિયાનું માતબર દાન અર્પણ કરેલ.આ પાવન પ્રંસગે શાળાના આચાર્ય અમૃતભાઈ પટેલ,શિક્ષક સુરેશભાઈ એચ. પ્રજાપતિ માંડલા,કિરણ દેસાઈ વડા,શિક્ષકગણ,ગામના અગ્રણીઆગેવાનો,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ- બહેનો સહિત સર્વેકર્મચારીઓહાજરરહીકાર્યક્રમનીશોભાવધારીહતી.આઅંગેનટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.