ભારતીય જનતા પાર્ટીનું રાજપીપલા ખાતે નવનિર્મિત કાર્યાલય, “ શ્રી કમલમ્ નર્મદા ’’ નું 20 મીએ ઉદ્ઘાટન
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે શ્રી કમલમ નર્મદા ખુલ્લું મુકાશે
પૂર્વ ગૃહ મઁત્રી,સાંસદો ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ સહીત ભાજપાના વરિષ્ઠ આગેવાનોની ખાસ ઉપસ્થિતિ
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય, “ શ્રી કમલમ્ નર્મદા ’’ નું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે તેમજ માજી ગૃહમંત્રી પ્રદિપસિંહજી જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં
તા.૨૦/૦૩/૨૦૨૪ બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રેલ્વે સ્ટેશનની બાજુમાં, શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે રાખવામાં આવ્યું છે
જેમાં ગુજરાત પ્રદેશ ભા.જ.પાના પ્રદેશ અધ્યક્ષ , સી. આર. પાટીલ, આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી નવનિર્મિત “શ્રી કમલમ્ નર્મદા” કાર્યાલયને ખુલ્લું મુકશે.જયારે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માજી ગૃહમંત્ર પ્રદિપસિંહજી જાડેજા આ ઉપરાંત ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા ખાસ ઉપસ્થિત રહેશે.
ઉપરાંત આ કાર્યક્રમમાં ધારાસભ્ય નાંદોદ ડૉ. દર્શનાબેન દેશમુખ,રીતેશભાઈ વસાવા, ધારાસભ્ય ઝગડીયા, ભીમસીંગભાઈ તડવી પ્રમુખ નર્મદા જિલ્લા પંચાયત,જશુભાઈ રાઠવા,છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર, ઉપરાંત માજી ધારાસભ્ય શબ્દશરણ તડવી, હર્ષદભાઈ વસાવા,મોતીભાઈ વસાવા મહેશભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતી રહેશે.
ભારતીય જનતા પાર્ટી નર્મદાના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર આ નવનિર્મિત કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમો, પ્રજાલક્ષી પ્રશ્નો માટે મુલાકાતનું આ મહત્વનું માધ્યમ બની રહેશે. આધુનિક કહી શકાય એવી તમામ સુવિધાઑ આ કાર્યાલય માં ઉપલબ્ધ છે ખાસ કરીને ભરૂચ અને છોટાઉદેપુરબન્ને લોકસભાની ચૂંટણી ટાણે લોકસંપર્ક અને ચૂંટણી લક્ષી કાર્યક્રમો માટે આ કાર્યાલય મહત્વનું પુરવાર થશે.