GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ જાહેર કરાયા
18 માર્ચ 2024
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ જાહેર કરાયા. ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી-2024 ની આદર્શ આચાર સંહિતાને ધ્યાનમાં રાખતા માર્ચ-2024 થી મે-2024 ના જામનગર જિલ્લા અને તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે નહીં. જેની જામનગર જિલ્લાના તમામ નાગરિકોને ખાસ નોંધ લેવા માટે અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.