DAHOD CITY / TALUKOGUJARAT

દેવગબારીયા તાલુકાના ચેનપુર ગામના પારિવારીક વિખવાદમાં સમાધાન કરાવતા અભયમ લીમખેડા

તા.૧૮.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Devgadhbariya:દેવગબારીયા તાલુકાના ચેનપુર ગામના પારિવારીક વિખવાદમાં સમાધાન કરાવતા અભયમ લીમખેડા

દાહોદ જિલ્લાના દેવગબારીયા તાલુકાના ચેનપુર ગામમાંથી એક પરણિતા બેનનો કોલ આવ્યો ને જણાવ્યું કે મારો પતિ દરરોજ નશો કરીને આવીને મને શારિરીક અને માનસિક ત્રાસ આપે છે. અને જેસીબી મશીન ચલાવવા માટે જાય છે તો અમને મહીને પગાર આપે તો મને પૈસા નહિ આપતા બિમાર હોય કે કઈ સામાન લેવા માટે પણ પૈસા નહિ આપે અને હું માંગુ એટલે અપશબ્દો બોલી ને મારકૂટ કરવા માટે આવે છે અને મારે 2 નાના બાળકો છે. તેમને પણ દેખતા નહિ. એક પરિણીતાનો 181 મહિલા હેલ્પ લાઈન માં પોતાનું લગ્ન જીવન બચાવવા મદદ કરવા અનુરોધ થી અભયમ રસક્યું ટીમ લીમખેડા સ્થળ પર પહોંચી પીડિતા બેનના પતિને કાયદાકીય અને સામાજીક જવબદારી નુ ભાન કરાવતા પતિ એ પોતાની ભૂલ કબુલી હતી અને હવે પસી હું મશીન પર કામ કરવા જઈને અને નશો નહિ કરૂં અને મારી પત્ની ને અને બાળકોને શારિરીક અને માનસિક ત્રાસ નહિ આપું અને સારી રીતે રાખીશ તેવી ખાત્રી આપી હતી. અભયમ કાઉન્સિલરે પીડિતા બેનના પતિને લગ્નજીવનની ગંભીરતાથી અને પારિવારિક જવબદારીઓ થી વાકેફ કરેલ સામાજીક અને કાયદાકિય જવાબદારી ભાન કરાવતા પતિએ પોતાની ભૂલને કબુલી હતી. અને છોકરાઓને પણ કોઈ પણ પ્રકારનો ત્રાસ નહિ આપું તેની ખાતરી આપી હતી. અને પછી બંને પતિ પત્ની વચ્ચે અસરકારક કાઉન્સિલીંગ થી પારિવારીક ઝગડામાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યુ હતું. પરિણીતાએ પોતાને મળેલ મદદ બદલ આભાર માન્યો હતો

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!