નોડલ અધિકારી એ આણંદ, ઉમરેઠ અને આંકલાવ તાલુકાના પોલિંગ બુથની મુલાકાત લીધી
નોડલ અધિકારી એ આણંદ, ઉમરેઠ અને આંકલાવ તાલુકાના પોલિંગ બુથની મુલાકાત લીધી
તાહિર મેમણ : આણંદ – 22/03/2024 – લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન ત્રીજા તબક્કામાં ગુજરાત રાજ્યમાં આગામી મે માસ ની ૭ મી તારીખે યોજવામાં આવનાર છે.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાનના દિવસે દિવ્યાંગ મતદારોને પોલિંગ બુથમાં જતા સમય વ્હીલ ચેર લઈ જઈ શકે તે માટે રેમ્પની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ ? તથા પોલિંગ બુથ ખાતે દિવ્યાંગજનો માટે વ્હીલ ચેર રાખવામાં આવી છે કે કેમ ? તેની તપાસણી માટે સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક શ્રી એમ. એ. પંડ્યાની નિમણૂક આણંદ જિલ્લા માટે નોડલ ઓફિસર તરીકે કરવામાં આવી હોય આજે આણંદ જિલ્લામાં તેમણે આણંદ, ઉમરેઠ અને આંકલાવ વિધાનસભા મત વિસ્તારના પોલિંગ બુથોની મુલાકાત લીધી હતી.
આણંદ શહેરી વિસ્તારના ડી. એન. હાઇસ્કુલ ખાતેના બે પોલિંગ બુથ, એમ.બી. સાયન્સ કોલેજ ખાતેના ત્રણ મતદાન મથક, ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં આવતા ચિખોદરા ગામના મતદાન મથકો અને આંકલાવ વિધાનસભા મતદાન મથકમાં આવતા મોગર ખાતેના મતદાન મથકની મુલાકાત લીધી હતી.
નોડલ ઓફિસર એ મતદાન મથકોની મુલાકાત દરમિયાન રેમ્પની સુવિધાની ચકાસણી કરી હતી. તેમણે મતદાન મથકો ખાતે દિવ્યાંગજનો માટે વ્હીલ ચેર ઉપલબ્ધ કરાવવા તથા દિવ્યાંગ વ્યક્તિ જ્યારે મતદાન કરવા આવે ત્યારે તેમને સહાયક પૂરા પાડવા અને જો ૪૦% કરતા વધારે દિવ્યાંગ હોય અને તેમને મતદાન કરવા મતદાન મથક સુધી ન આવવું હોય તો ઘરે બેઠા પણ મતદાન કરી શકે તેવી સુવિધા આપવા માટે પણ જણાવ્યું હતું.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.