GUJARATJETPURRAJKOT

Dhoraji: ધોરાજી તાલુકાના ૫૦% થી ઓછુ મતદાન થયેલ વિસ્તારમાં મતદાર જાગૃતિના અંગેના પેમ્ફલેટ વિતરણ કરી લોકોને મત આપવા જાગૃત કરાયા

તા.૩/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Dhoraji: આગામી લોકસભા ચુંટણી- ૨૦૨૪ અનુસંધાને તા. ૭મી મે ૨૦૨૪ના રોજ ગુજરાત રાજ્યમાં મતદાન યોજાનાર છે. આ ચુંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તથા મહિલા મતદારોની પણ સમાન સહભાગીતા નોંધાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે વિવિધ જિલ્લા, ગામડાઓ અને શાળાઓમાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ત્યારે ધોરાજી તાલુકાના ૫૦% થી ઓછુ મતદાન થયેલ તથા પુરૂષ મતદારો અને સ્ત્રી મતદારોના મતદાનમાં ૧૦% થી વઘારે તફાવત વાળા મતદાન મથકના બી.એલ.ઓ.શ્રી મારફત તે ભાગનાં મતદારોને મતદાર જાગૃતિના અંગેના પેમ્ફલેટ વિતરણ કરી મતદારોને જાગૃત કરવામાં આવ્યા તેમજ મહિલાઓની મતદાનમાં ભાગીદારી વઘે તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. અને આવનાર લોકસભા ૨૦૨૪ ની ચુંટણીમાં પરિવારજનો અને સ્નેહીજનો સાથે મતદાન કરવા જવા માટેની અપીલ કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!