રામ નવમી ના પર્વ ને લઈને આજરોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
જંબુસર આગામી દિવસો મા આવનાર રામ નવમી પર્વ ને અનુલક્ષી ને વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી ની અધ્યક્ષતા મા પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી.પાણમિયા ની ઉપસ્થિતિ મા શાંતિ સમિતિ ની મીટીંગ યોજાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
આગામી તારીખ ૧૭ ના રોજ આવનાર રામ નવમી ના પર્વ ને અનુલક્ષી ને જંબુસર પોલીસ મથક ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને પોલીસ ઈન્સપેકટર એ.વી. પાણમિયા ની ઉપસ્થિતિ મા શાંતિ સમિતી ની મીટીંગ યોજાઈ હતી.આ મીટીંગ મા રામનવમી પર્વ ની શાંતિપૂર્ણ માહોલમાં એકતા ભાઈચારા થી ઉજવણી થાય તેવી વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી તથા પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. પાણમિયા એ ઉપસ્થિત નગર ના અગ્રણીઓ ને જણાવ્યુ હતુ.મીટીંગ મા ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઇ પટેલ, વિશ્ર્વ હિંદુ પરિષદ ના અગ્રણી ભુપેન્દ્ર પંચાલ, તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ ગોહિલ, પાલિકા વિપક્ષ નેતા સાકીર મલેક, અનવર સૈયદ, ઈમ્તિયાઝ હુસેન સૈયદ, મૌલાના સદ્દામ હુસેન,પાલિકા સદસ્ય કાદરબેગ મિર્ઝા સહિત ના આગેવાનોએ જંબુસર નગરમાં હિંદુ મુસ્લિમ તહેવારો એકતા અને ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે છે. અને આગામી રામનવમી પર્વ ની શાંતિપૂર્ણ માહોલમાં એકતા થી ઉજવણી થશે તેમ જણાવ્યુ હતુ.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.