અંધશ્રદ્ધા દૂર કરવા રાજકોટના રામોદમાં યોજાયા અનોખા લગ્ન, ઊંધા ફેરા, બંધારણ નાં શપથ લેવાયા
રાજકોટ જિલ્લા નાં રામોદ ગામ માં રાઠોડ પરિવાર ની દીકરી પાયલ નાં લગ્નઃ પ્રસંગે વરરાજા & જાન પક્ષ નો ઉતારો સ્મશાન માં આપી કાળા વસ્ત્ર માં સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂત પ્રેત નું સરઘસ, કન્યા કાળા ડ્રેસ સાડી માં ફુલેકું , નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. ઊંધા ફેરા, બંધારણ નાં શપથ, વિજ્ઞાન જાથા વિચારધારા મુજબ લગ્ન યોજવામાં આવ્યા હતા. માર્ગો ઉપર લોકોનું ધ્યાન ખેંચી જોવા મજબૂર કર્યા હતા. વાહનો ઊભા રાખી કેમેરા માં અદ્ભુત પ્રસંગ યાદગાર ક્ષણો લીધી હતી. કુરિવાજો અંધશ્રદ્ધા ને દેશવટો આપવામાં આવ્યો હતો. મુહર્ત, ચોઘડિયા ને દફનાવી લગ્ન ની ઊજવણી કરવામાં આવી હતી. લોકો જોવા ઉમટી પડ્યા હતા. અનોખો લગ્ન યોજવામાં આવ્યો હતો. લોકો ખુશખુશાલ થઈ પ્રસંગ નો લાભ લીધો હતો. સ્મશાન માં અનેરો અવસર પ્રાપ્ત કર્યો હતો. કોટડાસાંગાણી પોલીસે વિશેષ વ્યવસ્થા ફાળવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સદીઓ જૂની માન્યતા નું ખંડન કરવામાં આવ્યું હતું. ખોટા રિવાજો ને તિલાંજલિ આપીને જાથા એ આયોજન કરવામાં આવ્યું હતું. જાથા ને દેશભરમાંથી અભિનંદન વર્ષા મળી હતી.