ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ભગવાન શ્રીરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરી શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું
જય શ્રી રામ ના નાદ સાથે સમગ્ર ધોકડવા ગુંજી ઊઠયું હતું
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ભગવાન શ્રીરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરી શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું
જેમાં ધોકડવા રામજી મંદિરથી લઈ ધોકડવા મેન બજારથી ઉના તુલશીશ્યામ રોડ ઉપર થઈ રામજી મંદિર સુધી ડીજેના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી
આ કાર્યક્રમમાં રામજી મંદિર ના મહંત.ગીર સોમનાથ જીલ્લા કારોબારી ચેરમેન ડાયાભાઇ જાલોંધરા.ભાજપ જીલ્લા મંત્રી વિસાલભાઈ વોરા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ.તા.પં.સદસ્ય દુલાભાઈ ગુજ્જર.ચેમ્બર ઓફ કોમર્સ ધોકડવા તેમજ આજુબાજુના ગામડાઓના રામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
તેમજ જય શ્રી રામ ના નાદ સાથે સમગ્ર ધોકડવા ગુંજી ઊઠયું હતું
આ સમગ્ર શોભાયાત્રા નું આયોજન ધોકડવા શ્રી રામ યુવા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું
શોભાયાત્રા દરમિયાન શ્યામ વોટર સપ્લાયર દ્વારા શોભાયાત્રામાં જોડાનાર તમામ લોકો માટે ઠંડા પાણીને પણ વ્યવસ્થા કરવામાં આવી હતી
અને વિશાળ સંખ્યામાં લોકો તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા