GIR GADHADAGUJARAT

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ભગવાન શ્રીરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરી શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું

જય શ્રી રામ ના નાદ સાથે સમગ્ર ધોકડવા ગુંજી ઊઠયું હતું

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ભગવાન શ્રીરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરી શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું

જેમાં ધોકડવા રામજી મંદિરથી લઈ ધોકડવા મેન બજારથી ઉના તુલશીશ્યામ રોડ ઉપર થઈ રામજી મંદિર સુધી ડીજેના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

આ કાર્યક્રમમાં રામજી મંદિર ના મહંત.ગીર સોમનાથ જીલ્લા કારોબારી ચેરમેન ડાયાભાઇ જાલોંધરા.ભાજપ જીલ્લા મંત્રી વિસાલભાઈ વોરા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ.તા.પં.સદસ્ય દુલાભાઈ ગુજ્જર.ચેમ્બર ઓફ કોમર્સ ધોકડવા તેમજ આજુબાજુના ગામડાઓના રામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તેમજ જય શ્રી રામ ના નાદ સાથે સમગ્ર ધોકડવા ગુંજી ઊઠયું હતું

આ સમગ્ર શોભાયાત્રા નું આયોજન ધોકડવા શ્રી રામ યુવા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું

શોભાયાત્રા દરમિયાન શ્યામ વોટર સપ્લાયર દ્વારા શોભાયાત્રામાં જોડાનાર તમામ લોકો માટે ઠંડા પાણીને પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

અને વિશાળ સંખ્યામાં લોકો તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!