ચોટીલા સરકારી હોસ્પિટલમાં ટી.બી. ની દવા ખલ્લાસ! ડોક્ટર દ્વારા સોશ્યલ મીડિયા પર દાનની માંગણી
મેસેજ થકી તુરંત દવા માટે દાનની સરવાણી થતા ૧૫ દિવસની રાહત
તા.01/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ટી.બી. મુક્ત ભારત કઈ રીતે થશે? જો સરકાર તરફથી દવાનો જથ્થો જ આપવામાં આવતો નથી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સરકારી હોસ્પિટલમાં હાલ સરકાર દ્વારા ટી.બી. ની દવાનો જથ્થો ઉપ્લબ્ધ કરવામાં આવતો નથી ત્યારે હોસ્પિટલના ડોક્ટર તરફથી માનવતાની રીતે સોશિયલ મિડિયાનો સહારો લઈ એક મેસેજ મુકવામાં આવેલ અને જણાવેલ કે ટી.બી. ની દવા હોસ્પિટલમાં છે નહીં કે સરકાર તરફથી કોઈ ફાળવણી કરવામાં આવી નથી ત્યારે ટી.બી. ના દર્દી ઓને દવા વગર પરત ફરવું પડે છે ત્યારે સેવાભાવી દ્વારા દવા માટે ૧૦ હજારની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવી હતી અને ૧૫ દિવસ સુધી ચાલે તે માટે દવાનો જથ્થો મંગાવી લીધેલ છે ત્યારે ડોક્ટર દ્વારા એક માનવતા ભર્યું પગલું ભરી દર્દીઓને દવા પુરી પાડવામાં ખુબ સરસ કાર્ય કરેલ છે જયારે સવાલ એ થાય છે કે સરકાર દ્વારા ટી.બી. મુકત ભારતની મોટી મોટી વાતો થાય છે તે પોકળ સાબિત થાય છે ગુજરાત ની કોઈપણ સરકારી હોસ્પિટલ માં ટી.બી.ની દવાનો જથ્થો સરકાર તરફથી ફાળવણી કરવામાં આવેલ નથી અને ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણનું વિધાનસભા ક્ષેત્રનું મોટું શહેર ચોટીલાની હોસ્પિટલમાં જ દવા માટે ડોક્ટરને સંસ્થાઓ પાસે દાન લઈને મંગાવવી પડતી હોય ત્યારે ધારાસભ્ય આ બાબતે તેઓની ગ્રાન્ટ ફાળવવામાં કેમ આવતી નથી? આરોગ્ય સુરક્ષા માટે સરકાર કટ્ટીબધ્ધ નથી તે આ કિસ્સા ઉપરથી જણાય આવે છે ચોટીલા તાલુકાનાં ગામોમાં ટી.બી. ના દર્દીઓ મોટા પ્રમાણમા હોય છે ત્યારે ટી.બી. ની દવા જ ન હોય તે બાબત દુખનિય છે આવી રીતે ટી.બી.મુકત ભારત થશે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.