GUJARAT

જે.વી.નારીયા ટ્ર્રસ્ટ+સુઝલોન દ્વારા વિદ્યાર્થી અને વિદ્યાલયને પ્રોત્સાહન

કાલાવડ તાલુકાની બે શાળાઓમાં પ્રવેશ ઉત્સવ દરમ્યાન સુઝલોન ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટ તથા શાળાઓમાં એલજી કંપનીનું સાઉન્ડ સિસ્ટમ ભેટ કરાઈ

જામનગર (ભરત ભોગાયતા)

ગત તારીખ 27/6/2024 ના રોજ કાલાવડ તાલુકાના નાની ભલસાણ અને બેરાજા ગામની પ્રાથમિક શાળાઓના શાળા પ્રવેશ ઉત્સવમાં સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરને સાથે રાખી સુઝલોન ફાઉન્ડેશનની CSR એક્ટિવિટી અંતર્ગત લેન્ડમેનેજર યુવરાજસિંહ જાડેજા, સિક્યુરિટી ઓફિસર સુરેશભાઈ રોલા, ઓમ દેવસિંહ સરવૈયા તથા અજય ભાઈ ડાંગર હસ્તે વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટ તથા શાળાઓમાં એલજી કંપનીનું સાઉન્ડ સિસ્ટમ અને માઈક અર્પણ કરવામાં આવેલ. શાળામાં જુદી જુદી સ્પર્ધામાં નંબર મેળવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ એને શાળામાં વૃક્ષા રોપણ પણ કરવામાં. સુઝલોન ફાઉન્ડેશન તરફથી મળેલ ભેટ બદલ શાળા આચાર્ય તેમ વિધાર્થીઓ દ્વારા સુઝલોન ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ રચનાત્મક અને પ્રેરક પ્રદાનની  વિગતો ટ્રસ્ટના સોશ્યલ એક્ટીવીસ્ટ સુશ્રી ગીતા જોષીએ પુરી પાડી હતી

 

@______________

b.g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jmr

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!