ઉમલ્લા નજીક કાલીયાપુરા પાસેનું ગરનાળું જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ RPL સ્કૂલ ના વિધ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા








આર.પી.એલ. શાળાએ જતા વિદ્યાર્થીઓને રોડ પર વાહન મૂકી વાલીઓ અડધો કિલોમીટર સુધી ચાલતા લેવા જવા મજબુર બન્યા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપલા વચ્ચેની રેલવે લાઇન પરના ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. તાલુકામાંથી પસાર થતાં મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામ્ય માર્ગો પર રેલવે લાઇન પર ગરનાળા બનાવવામાં આવ્યા છે. આ ગરનાળાઓમાંથી ગામડાઓની જનતા અવરજવર કરે છે. ચોમાસા દરમિયાન રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઇ રહેતું હોવાથી અપડાઉન કરતા વિધ્યાર્થીઓ તેમજ અન્ય ગામોએ જતા આવતા ગ્રામજનો હાલાકિમાં મુકાય છે .ત્યારે ઉલખનીય છે જે ઉમલ્લા નજીક કાલીયાપુરા ગામ પાસે મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામિણ માર્ગ પરના રેલવે ગરનાળામાં પાણી ભરાતા આ પંથકના ગામોના લોકો તેમજ નજીકમાં આવેલી રાજશ્રી વિદ્યામંદિરના શાળાના વિધ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, આ સ્થળ નજીક આરપીએલ નામની કંપની આવેલી છે,આ કંપનીમાં શાળા આવેલ હોઇ આજુબાજુના ગામોના વિધ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ અર્થે આવે છે ગરનાળામાં પાણી ભરાઈ જવાથી વાલીઓ મેનરોડ પર પોતાના વાહન મૂકી અર્ધો કિલોમીટર દૂર સુધી બાળકોને શાળા પરથી પગપાળા લેવા તેમજ મૂકવા જવું પડે છે.બાળકોના જીવને જોખમ ન ઉભુ થાય માટે વાલીઓએ જાતે બાળકોને લેવા આવું પડે છે, ગરનાળામાં પાણી ભરાવાના કારણે આવવા જવામાં તકલીફ પડે છે કેટલાક વાલીઓ જીવના જોખમે બાળકોને જીવના જોખમે ગળનાળામાંથી પસાર કરતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે. સ્કૂલના સત્તાધીશો પણ આ બાબત કોઈ નક્કર રજૂઆત કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ગરનાળા માંથી ચોમાસુ પાણી વહી જાય અને ગરનાળામાં પાણી ભરાઇ ના રહે તે માટે રેલવે સત્તાવાળાઓ તાકીદે યોગ્ય નિકાલ કરવા આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.
ઈરફાન ખત્રી
રાજ પારડી






