CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી તાલુકાના આનંદપુરી ગામે અબીલ ગુલાલ ઉડાવી ડી.જેનાં તાલે રાસ ગરબા રમી ગણપતી બાપ્પાને ભાવભરી વિદાઈ આપી
મુકેશ પરમાર,,,નસવાડી
નસવાડી તાલુકાના આનંદપુરી ગામે ગ્રામજનો દ્રારા ગણપતી બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને ગ્રામજનો દ્રારા ભક્તિ ભાવથી 9 દિવસ ગણપતી બાપ્પાની પૂજા અર્ચના કરી હતી જ્યારે ગ્રામજનો દ્રારા 9 માં દિવસે ડી.જે નાં તાલે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા ગણપતી બાપ્પા મોરયા અગલે બરસ તું જલદી આના ના જય ઘોષથી ગામનું વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું અને ગ્રામજનોએ અબીલ ગુલાલ ઉડાવી રાસ ગરબા રમી ગણપતી બાપ્પાની મૂર્તિનું અશ્વિન વિસર્જન કર્યું હતું.
