CHHOTA UDAIPURGUJARATNASAVADI

નસવાડીમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણપતિ દાદાની મૂર્તિઓનું વિસર્જન

મૂકેશ પરમાર નસવાડી
નસવાડી નગરમાં અલગ અલગ ગણેશ મંડળો દ્વારા ગણપતી દાદાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી અને 10 દિવસ ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરવામાં આવી હતી ગણેશ મંડળો દ્વારા  આજ રોજ નગરમાં ડી.જે ના તાલે ભવ્ય વિસર્જન યાત્રા  નીકળી હતી અને વિસર્જન યાત્રામાં ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલદી આ ના નાદ થી વાતાવરણ પણ ગૂજી ઉઠ્યું હતું જ્યારે વિસર્જન યાત્રામાં યુવા ધને ડી જે ના તાલે ગરબા રમીને અબીલ ગુલાલ ઉડાવી હર્ષો ઉલ્લાસ સાથે તમામ મૂર્તિ નદીમાં પૂજા અર્ચના બાદ વિસર્જન કરવામાં આવ્યું જયારે નસવાડી પોલીસે  મૂર્તિઓ વિસર્જન કરતી વખતે કોઈ પાણીમાં ડૂબી ના જાય તે માટે નદીમાં નાના બાળકોને જવા દેવાની મનાઈ ફરમાવી દીધી હતી અને નદી કિનાર ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો  હતો.

oplus_1024
oplus_1024

Back to top button
error: Content is protected !!