NATIONAL

દેશમાં હવે નકલી બેન્કની શાખા પણ બનવા લાગી.. જલ્દી જાણી લો તમારી બેન્ક શાખા નકલી નથી ને !!!

આ સમગ્ર તપાસમાં જાણવા મળ્યું કે નકલી બેન્ક શાખામાં કામ કરતાં કર્મચારીઓને નકલી નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા અને તેમને તાલીમના નામે ત્યાં બેસાડવામાં આવ્યા હતા. પોલીસે અહીં દરોડા પાડ્યા ત્યારે કથિત બેન્ક મેનેજર ફરાર થઇ ગયો.

દેશમાં અવાર-નવાર વિવિધ માધ્યમોથી છેતરપિંડી થઈ હોવાના મામલા સામે આવતા હોય છે. તે ઉપરાંત દેશમાં સરકારી શાખાઓમાંથી પણ નકલી અધિકારીઓ ઝડપાતા હોય છે. તે ઉપરાંત નકલી તબિબો, નકલી પાયલોટ અને વિવિધ નકલી કર્મચારીઓ પણ પોલીસના હાથમાં આવતા હોય છે. જોકે આ પહેલા પણ દેશમાંથી અનેક રાજ્યોમાંથી નકલી બેંકને ઝડપી પાડવામાં આવી છે. ત્યારે વધુ એક રાજ્યમાંથી નકલી બેંકને સીઝ કરવામાં આવી છે.

છત્તીસગઢના શક્તિ જિલ્લામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો, અહીં ઠગોએ એસબીઆઈની નકલી શાખા શરૂ કરી દીધી. સાથે જ અનેક લોકોથી લાખો રૂપિયા લઇને નકલી નિયુક્તિ પત્રો આપ્યા. આ સમગ્ર મામલે પોલીસએ ત્રણ નામદાર આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. બધા આરોપી ફરાર છે. પોલીસના જણાવ્યા મુજબ, કોરબા અને કવર્ધાના ઘણા લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે.

આ કૌભાંડ ત્યારે ખુલ્યું જ્યારે મનોજ અગ્રવાલ નામના વ્યક્તિએ કિસ્યોસ્ક શાખા ખોલવા માટે અરજી કરવા આવ્યો. જ્યારે તેણે છપોરા ગામમાં એસબીઆઈની શાખા જોઈ, ત્યારે તેને શંકા લાગી. તપાસ કર્યા બાદ તે સમજાયું કે આ શાખા સાચી નથી, પણ નકલી છે. આ માહિતી ડભરા બ્રાંચના અધિકારીઓને આપવામાં આવી. અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી તો સમગ્ર કૌભાંડ ખુલ્લું પડ્યું. આ સમગ્ર તપાસમાં જાણવા મળ્યું કે નકલી બેન્ક શાખામાં કામ કરતાં કર્મચારીઓને નકલી નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા અને તેમને તાલીમના નામે ત્યાં બેસાડવામાં આવ્યા હતા. પોલીસે અહીં દરોડા પાડ્યા ત્યારે કથિત બેન્ક મેનેજર ફરાર થઇ ગયો. તપાસ દરમિયાન બેન્ક સંબંધિત કોઈ દસ્તાવેજ મળી આવ્યા નહીં. પોલીસએ કમ્પ્યુટર સિસ્ટમ અને હાર્ડ ડિસ્ક જપ્ત કરી છે.સક્તિ એસડીઓપી મનીષ કુમાર ધ્રુવએ જણાવ્યું કે આ મામલામાં રાયપુર રિજન મેનેજરની નકલી સીલ અને દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસએ ત્રણ નામદાર આરોપીઓ અને અન્ય વિરુદ્ધ વિવિધ ધારાઓ હેઠળ કેસ નોંધ્યો છે. ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

આ નકલી બેન્ક શાખા દ્વારા અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લઇને નોકરી આપવામાં આવી. કોઇ પાસેથી બે લાખ તો કોઇ પાસેથી પાંચ લાખ એમ કરીને કરોડો રૂપિયા ખંખેરી નક્લી નિયુક્તિપત્રો આપ્યા હતા. આ સમગ્ર મામલે રેખા સાહૂ અને મન્દીર દાસના નામ પણ સામે આવ્યા છે, જે કોરબાના રહેવાસી છે અને ઠગાઈના શિકાર થયેલા લોકો તરફથી પૈસા લઈ ચુક્યા છે. પોલીસે આ ઠગોની શોધખોળમાં લાગી છે અને વધુ તપાસ ચાલુ છે.

Back to top button
error: Content is protected !!