BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
નબીપુરમાં અગિયારમી શરીફ ના દિવસે કુરાન ખવાની કારી પરચંદ કુસાઈ નો પ્રોગ્રામ રખાયો, ગ્રામજનો ઉપસ્થિત રહયા.

સમીર પટેલ, ભરૂચ
મુસ્લિમ ધર્મનો ચોયો મહિનો પીરાને પીર નો મહિનો ગણાય છે. જેમાં આ માસની ૧૧ મી તારીખ તેમના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબોપુર ગામે આ પર્વની ઉજવણી કરાઈ હતી. નબીપુર બગદાદ કમિટી દ્વારા સવારે ગામની જુમ્મા મસ્જિદમાં કુરાન ખવાની કરાઈ હતી અને ત્યારબાદ મડ્રસા ના કમ્પાઉન્ડ મા પરચંદ કુસાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યા મા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે નિયાઝ નું વિતરણ કરાયું હતું.



