
નરેશપરમાર, કરજણ,
કરજણ વકીલ મંડળના પ્રમુખ તરીકે મિનેશ પરમાર ની જીત થઈ
કરજણ બાર એસોસિયનની ચૂંટણીમાં પ્રમુખ પદે મિનેષ એડવોકેટ સહિત હોદ્દેદારો ચૂંટાયા.
આજ રોજ કરજણ જૂનાબજાર ખાતે આવેલ કરજણ સિવિલ કોટ સંકુલમાં કરજણ વકીલ મંડળની સને ૨૦૨૪-૨૫ ની ચૂંટણી યોજાય હતી જેમાં વકીલ મંડળના કુલ ૬૯ મતદારોએ મતદાન કર્યું હતું જેમાં પ્રમુખ તરીકે સામાજીક કાર્યકર મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ જાણીતા એડવોકેટ મિનેષ પરમાર પ્રમુખ પદે વિજેતા જાહેર થયા હતા. અને ઉપપ્રમુખ પદે રોનક પટેલ અને સેક્રેટરી પદે નટુભાઈ પરમાર અને કમિટી સભ્યો માં અરવિંદ ભાઈ વસાવા,કનુભાઈ વસાવા,હર્ષદભાઈ પટેલ,, મલેક ઇમરાન ભાઈ દિલાવર, સમીર સિંધી ચૂંટાયા હતા સમગ્ર ચૂંટણીની કામગીરી ચૂંટણી કમિશનર શ્રી હર્ષદ ચાવડા તથા મદદનીસ કમિશનર અરવિંદ ભાઈ પરમાર એ કામગીરી નિભાવી હતી.




