AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરને RTE હેઠળ અનુકરણીય કાર્યો બદલ રાષ્ટ્રીય સન્માન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

ભદ્રેશ્વર સ્થિત અદાણી વિદ્યામંદિરે શિક્ષણક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. એજ્યુકેશન એક્સેલન્સ – એમ્પાવરિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં “સ્કૂલ ફોર અંડરપ્રિવિલેજ્ડ / આરટીઇ અમલીકરણ” શ્રેણીમાં પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ ઓફ મેરિટથી શાળાને નવાજવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ એવોર્ડ સમારોહમાં, સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનારી સંસ્થાઓને માન્યતા અપાઈ હતી.

આ એવોર્ડ એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ્સમાં અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વર માટે એક મોટી ઉપલબ્ધિ છે, જે શિક્ષણ અધિકાર કાયદાના અમલ માટે અને વંચિત વર્ગોના સશક્તિકરણ માટે શાળાના અતૂટ સમર્પણને સન્માને છે. આ અવસરે, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ દીપક વર્મા અને ભારત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી ડૉ. સુકાંત મજુમદાર સહિતના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરને આ સન્માન સતત બીજા વર્ષે પ્રાપ્ત થયું છે, જે શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રમાણિત કરે છે. ભદ્રેશ્વર સ્થિત શાળા શૈક્ષણિક સમાનતાના સિદ્ધાંતોને મજબૂત બનાવી, આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય તેની સુનિશ્ચિતતા તરફ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સાથે સંલગ્ન આ શાળા ધોરણ 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પ્રદાન કરે છે, જેમાં ટ્યુશન ફી, પાઠ્યપુસ્તકો, ગણવેશ અને પૌષ્ટિક ભોજનનો પણ સમાવેશ થાય છે. અદાણી વિદ્યામંદિર ભવિષ્યમાં પણ શિક્ષણ દ્વારા સમાજમાં પરિવર્તન લાવવાના મિશન સાથે કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.

Back to top button
error: Content is protected !!