23 માર્ચ 2025
હર્ષલ ખંધેડિયા :- જામનગર
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી ગંગાજળા વિદ્યાપીઠ સંચાલિત દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડાના સંયુકત ઉપક્રમે એક દિવસીય રાજ્ય સ્તરીય કાવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓના સર્જનાત્મક વલણને વધારે ગુણવત્તાયુક્ત બનાવવાના હેતુથી સાહિત્ય જગતના સન્માન્ય કવિ ડો. રઈશભાઈ મણિયાર સાહેબે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. 





