GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી ખાતે વિશ્વ હોમીયોપેથી દિવસ નિમિત્તે મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૦૮: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત અને નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી તા ૧૦/૪/૨૦૨૫ ‘ વિશ્વ હોમીયોપેથી દિવસ ‘ નિમિતે આશાપુરા માતાજીનું મંદિર, વિજલપોર રોડ, નવસારી અને રામદેવપીર મંદિર, જલાલપોર ખાતે જિલ્લા ના દરેક હોમિયોપેથીક દવાખાના દ્વારા મફત હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દરેક પ્રકારના રોગોનું મફત નિદાન અને સારવાર હોમિયોપેથીક પધ્ધતિથી કરવામાં આવશે. જેનો સમય સમય સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦નો છે. જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા માટે નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા અખબારી યાદી મારફત આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


