GUJARATKHERGAMNAVSARI

જનતા માધ્યમિક શાળા, ખેરગામે ધોરણ 10માં નોંધાવ્યું 71.83% પરિણામ

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

ખેરગામ: બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમાં ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળા, જનતા માધ્યમિક શાળા, ખેરગામે 71.83% પરિણામ સાથે ઉત્તમ પ્રદર્શન કર્યું છે. કુલ 142 વિદ્યાર્થીઓમાંથી 102 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. શાળાના શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓમાં રાજપુરોહિત અંજુ મોહનસિંહે 92.83% અંક સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તથા તેમને A1 ગ્રેડ મળ્યો છે. બીજા ક્રમે આહિર રિદ્ધિ કમલેશકુમાર રહી, જેઓએ 92.50% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. ત્રીજા સ્થાને પટેલ ખુશીકુમારી ભુપતભાઈ રહ્યાં, જેમણે 89.50% સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.શાળાના સંચાલક મંડળે શ્રેષ્ઠ પરિણામ માટે શિક્ષકમિત્રો અને શાળા પરિવારના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા તથા ભાવિ કારકિર્દી માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Back to top button
error: Content is protected !!