GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ઉનાળુ કઠોળમાં લીલી ઈયળનો ઉપદ્રવ નિયંત્રણમાં લેવાના ઉપાયો
તા.૧૫/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડીયા કેન્દ્ર દ્વારા ઉનાળુ કઠોળમાં થતા લીલી ઈયળના ઉપદ્રવને નિયંત્રણમાં લેવાના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જે મુજબ, હાલમાં પડેલા કમોસમી વરસાદના કારણે મગ તથા અડદના પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ થવાની શક્યતા હોય છે. આથી નિયમિત રીતે નિરિક્ષણ કરતા રહેવું.
જો મગ અને અડદ બંને કઠોળમાં ઈયળનો ઉપદ્રવ વધુ જણાય તો ક્લોરાટ્રાનિપિપ્રોલ ૧૮.૫ એસ.સી. (રિનક્ષીપાયર)દવા ૩ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.