
કરજણ જૂનો રેલવે ઓવરબ્રિજ ભારે વાહનો માટે બંધ
કરજણ જુના બજાર અને નવા બજારનો જોડતો જુનો રેલ્વે ઓવર બ્રીજ પર ભારે વાહન માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.કરજણ-આમોદ રસ્તા પર આવેલ જુનો રેલ્વે ઓવર બ્રીજ પર ભારે વાહન માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવે છે, તેથી તે રસ્તાના બદલે નીચે મુજબના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.(

1) NH 48 થી આમોદ, ઉમજ તેમજ પાદરા તરફ જતાં વાહનોએ અવર જવર માટે કરજણ ડાયવર્ઝન (સેવા સદન) નવો રેલવે ઓવરબ્રિજ (અણસ્તુ તરફ) રસ્તાનો ઉપયોગ કરવો.(2) આમોદ, ઉમજ તેમજ પાદરાથી NH 48 તરફ જતાં વાડનોએ અવર જવર માટે કરજણ ડાયવર્ઝન (અણસ્તુ તરફ) નવો રેલવે ઓવરબ્રિજ (સેવા સદન) રસ્તાનો ઉપયોગ કરવો.




