MEHSANAVIJAPUR

વિજાપુર વિસનગર ભાવસોર મોતીપુરા રોડ ઉપર બમ્પ મૂકવા સોસાયટી ના રહીશો અને વેપારીઓ ની માંગ અકસ્માત ની ઘટના નિવારવા બમ્પ ની જરૂરીયાત

વિજાપુર વિસનગર ભાવસોર મોતીપુરા રોડ ઉપર બમ્પ મૂકવા સોસાયટી ના રહીશો અને વેપારીઓ ની માંગ
અકસ્માત ની ઘટના નિવારવા બમ્પ ની જરૂરીયાત
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વિસનગર ભાવસોર મોતીપુરા રોડ ઉપર આસપાસ ઘણી સોસાયટીઓ શાળાઓ પણ આવેલી છે.સોસાયટી ના લોકોની પણ અવર જવર અને શાળા માં કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈને બાઈક એક્ટિવા લઇને પણ જતા આવતા હોય છે તો આ રોડ ઉપર મોટા વાહનો ની અવર જવર નો પણ ઘસારો વધુ રહેતો હોય છે. મોટા વાહનો ના ઘસારા ના કારણે સામે છેડે જવા આવવા માટે રોડ ઉપર બમ્પ નહિ હોવાને કારણે રહીશો અને વિદ્યાર્થીઓ ને મુશ્કેલીઓ પણ પડે છે. કેટલીક વખત અકસ્માત થતા થતા રહી ગયા છે. તો તંત્ર દ્વારા રોડ ઉપર બમ્પ મૂકવા મા આવે તેવી સ્થાનીક લોકો મા માંગ ઉઠી છે. જોકે સરકાર દ્વારા વિસનગર થી વિજાપુર ફોર લાઈન રોડ બનાવવાનુ નક્કી થયું છે જેનું કામકાજ હજુ ચાલુ થયું નથી ત્યારે ભાવસોર મોતીપુરા નજીક ના ગામો અને આસપાસ ની સોસાયટી વિસ્તારો ના રહીશો ના અવર જવર અને શાળા માં જતા બાળકો વિદ્યાર્થીઓ ની એક્ટિવા સાયકલ વગેરે સાધનો લઈ ને જતા આવતા હોવાથી આ રોડ ઉપર બમ્પ તેમજ ટ્રાફિક ને સલામતી માટે મૂકવા મા આવતા ચિન્હો તેમજ રોડ ઓળંગવા માટે રોડ ક્રોસ ની ના ચિન્હો મૂકી રોડ ઉપર સલામતી માટે બમ્પ મૂકવાની સ્થાનીક રહીશો એ માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!