BODELICHHOTA UDAIPUR

બોડેલીમાં મતદાર નોંધણીSIR માટે જાગૃતિ બોર્ડ લગાવાયા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં Special Intensive Revision (SIR–2026) અંતર્ગત મતદારયાદી સુધારણા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 4 નવેમ્બર 2025થી BLO કર્મચારીઓ દ્વારા ઘર-ઘર જઈ મતદાર નોંધણીના ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. હાલ આ ફોર્મ ભરાવીને પાછા લેવામાં આવી રહ્યા છે.તંત્રના જણાવ્યા મુજબ, જે મતદારો દ્વારા ફોર્મ સમયસર પરત આપવામાં નહીં આવે, તેમના નામ મતદારયાદીમાંથી કાઢી શકાય છે. મતદારયાદી સુધારણાનું આ કાર્ય 4 ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહેશે.લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે બોડેલીમાં વિવિધ સ્થળોએ બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેમાં ડેપો વિસ્તાર, અલીપુરા ચોકડી અને પોલીસ સ્ટેશન બજાર વિસ્તારનો સમાવેશ થાય છે. આ બોર્ડ દ્વારા લોકોને સમયસર ફોર્મ ભરી સબમિટ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી કોઈનું નામ મતદારયાદીમાંથી કાઢી ન નાખાય એવી સ્થાનિક તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે દરેક યોગ્ય નાગરિક પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવવાનું તથા જરૂરી સુધારો સમયસર કરવાનું ભૂલશે નહીં.

રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી

Back to top button
error: Content is protected !!