
ખાસ સધન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અન્વયે વિવિધ મતદારોને ગણતરી ફોર્મ વિતરણ કરી તથા વિતરણ કરેલા ફોર્મ મતદારો પાસેથી મેળવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે .જેમાં ૮૬ જુનાગઢ વિધાનસભા મતવિસ્તાર માં સમાવિષ્ટ ભવનાથ ક્ષેત્રમાં વસવાટ કરતા સાધુસંતો, દાતાર પર્વત , ગિરનાર પર્વત પર રહેતા સાધુ સંતો, પૂજારીઓએ પણ પોતાના ગણતરી ફોર્મ બુથ લેવલ ઓફિસરને જમા કરાવી આપેલ છે. જુનાગઢ જિલ્લાના અન્ય વિસ્તારના મતદાતાઓને પણ પોતાના ગણતરી ફોર્મ વહેલી તકે જમા કરાવવા અપીલ છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






