જૂનાગઢમાં અજાકસ ટ્રસ્ટ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
મધુરમ વિસ્તારના રાજ રત્ન ભવન ખાતે હજારો ભીમ અનુયાયીઓ ઉમટી પડ્યા: મોબાઈલ ફ્લેશ લાઈટ અને વિડિઓ ક્લિપ નિહાળી વાતાવરણ ભાવવિભોર બન્યું

મધુરમ વિસ્તારના રાજ રત્ન ભવન ખાતે હજારો ભીમ અનુયાયીઓ ઉમટી પડ્યા: મોબાઈલ ફ્લેશ લાઈટ અને વિડિઓ ક્લિપ નિહાળી વાતાવરણ ભાવવિભોર બન્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરના મધુરમ વિસ્તારમાં અજાકસ ટ્રસ્ટ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા અને બોધિસત્વ ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે વિશેષ શ્રદ્ધા સુમન અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભીમ અનુયાયીઓ ઉમટી પડતા કાર્યક્રમ સ્થળ રાજ રત્ન ભવન ખીચોખીચ ભરાઈ ગયું હતું.






સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચંદુભાઈ ધાંધલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ એમ.સી.પરમાર દ્વારા કરવામાં આવી હતી.



