GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી સાર્થક વિદ્યામંદિરમાં દસમો તુલસી દિવસ ઉજવાશે

 

MORBI મોરબી સાર્થક વિદ્યામંદિરમાં દસમો તુલસી દિવસ ઉજવાશે

 

 

આગામી ૨૫ ડિસેમ્બર ગુરુવારના રોજ સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ વખતે શાળા દ્વારા દસમો તુલસી દિવસ ઉજવાશે.
નવ વર્ષથી આ શાળામાં ઉજવાતા આ કાર્યક્રમ/વિચારને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગત વર્ષોમાં સાર્થક વિદ્યામંદિર સહિત ઘણી સંસ્થાઓએ તુલસી દિવસની ઉજવણી કરી હતી. આ વર્ષે ૨૫ ડિસેમ્બર (નાતાલ)ના દિવસે તુલસી દિવસની ઉજવણીમાં

(1)તુલસીના રોપા અને માંજરનું વિતરણ
(2)મહા યજ્ઞ (3) સમાજ શ્રેષ્ઠીઓ /સંસ્થાઓનું સન્માન
(4) વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહત દરે વેચાણ (5) માહિતીપ્રદ પ્રદર્શની (6) શાળામાં ચાલતા કંઠસ્થીકરણ પ્રકલ્પની 5 કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તેમજ શિક્ષણ અને સમાજ જાગૃતિ માટેની 3 કૃતિઓ આચાર્ય (શિક્ષકો) દ્વારા (7) તુલસીનું વૈજ્ઞાનિક મહત્વ વગેરે
રજૂ કરવામાં આવશે તા.25-12-2025 સમય:; સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધી સ્થળ:- સાર્થક વિદ્યામંદિર ,મોરબી-2

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે.

સૂચના :- શાળાએ આવવાના રસ્તા પર કામ ચાલુ હોવાથી તુલસી દિવસની મુલાકાતે આવનાર તમામ વ્યક્તિઓને પોસ્ટ ઓફિસ વાળા ફાટકથી ડીમાર્ટ થઈને આવે.
આપના વાહન એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાખવા વિનંતી

Back to top button
error: Content is protected !!