THARADVAV-THARAD

થરાદના મિહિરભાઈ ત્રિવેદીએ ગુજરાત બાર કાઉન્સિલની એડવોકેટ પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એડવોકેટ માટેની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં થરાદના શ્રી મિહિરભાઈ ત્રિવેદી એડવોકેટ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી અત્રે જણાવવાનું કે શ્રી મિહિરભાઈ ત્રિવેદી બીએસસી એલએલબી એમએલટી નો ઉચ્ચ અભ્યાસ કરેલ છે તેમજ ભારતીય જનતા પાર્ટી થરાદના ઉપપ્રમુખ તરીકે તેમજ બ્રાહ્મણ સમાજ થરાદના ઉપપ્રમુખ તરીકે છે શ્રી મિહિરભાઈ ત્રિવેદી ના દાદા સ્વ શ્રી તુલજાશંકરભાઈ ત્રિવેદી થરાદ વાવ દિયોદર માં ખૂબ સારી સેવા કરી લોકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા એમના પુણ્યથી તેમજ પરિવારના ખૂબ સારા સંસ્કાર મળેલ છે મિહિરભાઈ પણ યુવા આગેવાન તેમજ સરળ સ્વભાવ ના સેવા ભાવી ધાર્મિક અને પુણ્યના કામમાં કાયમ આગળ હોય છે તેમજ સમાજ અને ગામમાં માણસો ના ખૂબ કામ કરે છે અને મિહિરભાઈ ત્રિવેદીને એડવોકેટની ગુજરાત બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરવાથી સમાજમાં અને મિત્ર મંડળમાં ખૂબ આનંદ થયો હતો અને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા સાથે સાથે જણાવવાનું કે મિહિરભાઈ ત્રિવેદી નું મૂળ વતન ચુડમેર છે પરંતુ વર્ષોથી થરાદ ખાતે રહેતા હોય થરાદ શહેર ની તમામ જ્ઞાતિમાં એમના પરિવારના ઉચ્ચ લાગણી ના સંબંધ હોવાથી દરેકને ઉપયોગી થશે અને સાચા વ્યક્તિઓને ન્યાય આપવામાં મદદ કરશે શ્રી મિહિરભાઈ ત્રિવેદીએ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર તરીકે કામગીરી કરી સમાજના કાર્યકર તરીકે પણ કામગીરી કરી તેમજ લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ માં પણ ડિરેક્ટર તરીકે સેવા આપે છે નાની ઉંમરમાં ખૂબ પ્રતિષ્ઠા અને નામના મેળવી છે તેઓ શ્રી આજે પણ સેવાના કામમાં અને ગૌમાતાના માટે સેવામાં દરરોજ તૈયાર હોય છે તેઓ શ્રી ને રાજકીય અગ્રણીઓએ સામાજિક આગેવાનો ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ વાવ થરાદના સંત શ્રીઓએ પણ આશીર્વાદ આપ્યા હતા

Back to top button
error: Content is protected !!