MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા પંચાયતમાં ગાંધીજી પુણ્યતિથિ અને શહીદ દિવસની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

વિજાપુર તાલુકા પંચાયતમાં ગાંધીજી પુણ્યતિથિ અને શહીદ દિવસની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

oppo_0
oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ તથા શહીદ દિવસ નિમિત્તે પંચાયતના પટાંગણમાં ભાવસભર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ગોવિંદભાઈ ચૌધરી, નાયબ તાલુકા વિકાસ અધિકારી સંજયભાઈ પટેલ તેમજ રાજકીય અગ્રણી મહેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ રહી હતી.
oppo_0
આ પ્રસંગે મહાત્મા ગાંધીજી તથા દેશ માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રપિતા ગાંધીજીના અહિંસા, સત્ય અને ત્યાગના માર્ગને અનુસરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ જોડાયા હતા. સમગ્ર માહોલ શાંત, ગૌરવપૂર્ણ અને સંવેદનશીલ રહ્યો હતો. પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતો આ કાર્યક્રમ યોજાયો હતો.

Back to top button
error: Content is protected !!