
તા.૧૪.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:ફતેપુરા તાલુકામાં ટ્રાઇબલ વિભાગની બિયારણ-ખાતર કીટ યોજના હેઠળ 5,244 લાભાર્થીઓને વિતરણ પૂર્ણ. ખાતરનો જથ્થો મળતા કામગીરી પુનઃ શરૂ કરાશે
ફતેપુરા તાલુકામાં ટ્રાયબલ વિભાગની બિયારણ-ખાતર કીટ યોજના અંતર્ગત 5,244 લાભાર્થીઓને વિતરણ, ખાતર જથ્થો આવતા કામગીરી પુનઃ શરૂ. ચોમાસુ સિઝન 2026ની દાહોદ: ફતેપુરા તાલુકામાં ટ્રાઇબલ વિભાગની બિયારણ-ખાતર કીટ યોજના હેઠળ 5,244 લાભાર્થીઓને વિતરણ પૂર્ણ. ખાતરનો જથ્થો મળતા કામગીરી પુનઃ શરૂ કરાશે.શરૂઆતને પગલે દાહોદ જિલ્લાના ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં ટ્રાયબલ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી બિયારણ અને ખાતર કીટ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને કીટ વિતરણની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે. G.S.F.C વડોદરા કંપનીના સહયોગથી હાથ ધરવામાં આવેલી આ યોજનામાં કુલ 5,244 લાભાર્થી ખેડૂતોને લાભ આપવાનું આયોજન છે જેમાંથી અત્યાર સુધીમાં 1,506 ખેડૂતોને કીટ વિતરણ કરવામાં આવી ચૂક્યું છે જ્યારે 3,738 કીટનું વિતરણ હજુ બાકી છે. ખાતરની અછતથી વિતરણ અટક્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર યોજનાની શરૂઆતમાં બિયારણનો જથ્થો સમયસર ઉપલબ્ધ થઈ ગયો હતો પરંતુ ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાના કારણે ફતેપુરા ઉપરાંત ઝાલોદ તાલુકામાં પણ વિતરણની કામગીરી અટકી પડી હતી. નાયબ ખેતી નિયામકશ્રી, વિસ્તરણ, દાહોદ દ્વારા આ બાબતે G.S.F.C કંપનીના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી અને રજૂઆત બાદ કંપની દ્વારા વધારાનો જથ્થો ફતેપુરા અને ઝાલોદ માટે મોકલવામાં આવ્યો હતો. હવે જથ્થો આવતા વિતરણ શરૂ. છેલ્લા બે દિવસમાં ખાતરનો જથ્થો ફતેપુરા અને ઝાલોદ તાલુકાના સ્ટોક પોઈન્ટ પર આવી જતા વિતરણની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. તાલુકા ખેતી અધિકારીશ્રી અને નાયબ ખેતી નિયામકશ્રી, વિસ્તરણ, દાહોદ તથા G.S.F.C ના પ્રતિનિધિઓના સંકલનથી ગામ વાઇઝ યાદી બનાવી ખેડૂતોને મોબાઈલ દ્વારા જાણ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લાભાર્થી હોવાથી એકસાથે ભીડ ન થાય અને વ્યવસ્થા જળવાય તે માટે દરરોજ 2 થી 3 ગામના ખેડૂતોને જ બોલાવવામાં આવી રહ્યા છે. ફતેપુરા તાલુકાના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે ખાતરનો જથ્થો આવી ગયો છે અને વિતરણમાં કોઈ વિલંબ કરવામાં આવશે નહીં. POS મશીનમાં ફિંગરપ્રિન્ટ માટે 5 મિનિટ જેટલો સમય લાગે છે અને આધાર વેરિફિકેશન સાથે પારદર્શક રીતે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો ને પણ સહકાર આપવા માટે ખેતીવાડી અધિકારી દ્વારા વિનંતી કરવા માં આવી છે કે ખેડૂત નિયત દિવસે જ કીટ લેવા આવે જેથી એક સાથે ભીડ ન થાય. વર્તમાન સ્થિતિના આંકડા મુજબ ફતેપુરા તાલુકા માટે મંજૂર થયેલ કુલ લિસ્ટ 5,244 લાભાર્થી ખેડૂત છે, અત્યાર સુધીમાં વિતરિત કરાયેલી કીટ 1,506 છે અને હજુ બાકી રહેલ વિતરણ 3,738 કીટ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જો જથ્થો ઉપલબ્ધ રહેશે તો આગામી 15 થી 20 દિવસમાં બાકીનું સમગ્ર વિતરણ પૂર્ણ કરી દેવામાં આવશે તેવું આયોજન છે. ફતેપુરા બાદ ઝાલોદ તાલુકામાં પણ વિતરણને વેગ આપવામાં આવશે. ટ્રાયબલ વિભાગ દ્વારા જિલ્લાના અન્ય તાલુકાઓ માટે પણ તબક્કાવાર કીટ ફાળવણીની પ્રક્રિયા ચાલુ છે અને ચોમાસાની વાવણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 30 જૂન પહેલા તમામ લાભાર્થીઓને કીટ પહોંચાડી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ટૂંકમાં ખાતરના જથ્થાની અછતને કારણે અટકેલી વિતરણ કામગીરી ફરી શરૂ થતાં ફતેપુરા અને ઝાલોદ તાલુકાના હજારો આદિવાસી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે અને હવે સમયસર વાવણી થાય અને સારો પાક ઉતરે તેવી આશા ખેડૂત વર્ગમાં જોવા મળી રહી છે.





