કતલખાને લઈ જવાતા 18 ઘેટાને જોરાવરનગર પોલીસ દ્વારા બે ઈસમોની અટકાયત કરી.
તા.07/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા હરેશ દુધાત તથા નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝન એચ.પી.દોશીનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર રીતે પશુઓની કતલ માટે થતી હેરાફેરી અટકાવી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલી હોય, જે અન્વયે અમારી સુચના મુજબ પોલીસ સ્ટાફના માણસો નાઇટમા વાહન ચેકીંગમા હતા.તે દરમ્યાન મુળી તરફથી એક સિલ્વર કલરની ટાટાસુમો ફોરવ્હીલ ગાડી રજી નંબર- GJ-13-N-2032 વાળી આવતા તેને સાઇડમાં ઉભી રખાવી હતી. અને ટાટા સુમો ગાડીનો પાછળનો દરવાજો ખોલી જોતા વચ્ચેની સીટમાં તથા પાછળની સીટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરી કતલખાને લઇ જવાના ઇરાદે જીવતા નાના બછડા નર ઘેટા નંગ-18 કોઇ ધાસચારો કે પાણીની વ્યવસ્થા નહીં રાખી ખીચોખીચ ભરેલી હાલતમાં જોવામાં આવ્યા હતા. જેથી બન્ને ઇસમો પાસે આ નર ઘેટા ભરવા અને હેરાફેરી કરવા પાસ પરમીટ માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવ્યું હતુ.જેથી નાના બછડા નર ઘેટા જીવ નંગ-18 જેની કી.રૂ.36,000/- ગણી કબ્જે કર્યા હતા. તેમજ સિલ્વર કલરની ટાટાસુમો ગાડી રજી નંબર – GJ -13-N-2032 કી.રૂ.1,00,000/-ગણી તપાસ અર્થે કબ્જે કર્યો છે.તેમજ પકડાયેલ બન્ને ઇસમોને આ નાના બછડા નરઘેટા ક્યાંથી લઇ આવેલા ? અને કયાં લઇ જતા હતા ? તે બાબતે પંચો રૂબરૂ પુછપરછ કરતા જણાવેલુ કે, આ નાના બછડા નરઘેટા કતલખાને કાપવાના છે. તેમ કહી લાલાભાઇ ભરવાડ ( રહે.નાયકા તા.મુળી )વાળા પાસેથી ખરીદેલા હતા. અને હાલે મારા ઘરે લઇ જતો હોય તેમ જણાવતા મજકુર પકડાયેલ બન્ને ઇસમો તથા આ ઘેટા લાલાભાઇ ભરવાડ ( રહે નાયકા તા.મુળી ) વાળા પાસેથી લાવેલા હોય જેથી ત્રણેય ઇસમો વિરૂધ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.