GUJARATSURENDRANAGARWADHAWAN

વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી દેરાસરમાં પક્ષાલ પુજા પ્રભાવનાનુ આયોજન કરાશે.

તા.02/05/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા વેકેશન દરમિયાન બાળકોમાં ધાર્મિક સંસ્કારનું સિંચન થાય તે હેતુથી દેરાસરમાં પક્ષાલ પુજા તેમજ પ્રભાવનાનુ આયોજન કરવામાં આવ્યું છે દર રવિવારે બાળકો જીનાલયમાં પક્ષાલ પુજા કરવા આવે તેને સિલ્વર ગ્રુપ દ્વારા તેમજ દાતાઓનાં સહયોગથી ગિફ્ટ આપવામાં આવશે જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરનાં સેક્રેટરી ગુંજન સંઘવીએ જણાવ્યું કે તારીખ: ૦૫-૦૫ થી ૦૯-૦૬ સુધી દર રવિવારે સવારે અલગ અલગ જિનાલયોમાં પક્ષાલ પુજાનાં આયોજનને સફર બનાવવા પ્રમુખ કૃણાલભાઈ મેહતા, શ્રેણિકભાઈ શાહ, પ્રોજેક્ટ ચેરમેન સુનિલભાઈ કોટક, મલકેશભાઈ દોશી, કુનાલભાઈ બાવિશી, પિંકેશભાઈ શાહ, રીપલભાઈ શાહ, અભિશેકભાઈ વોરા તેમજ સમગ્ર કારોબારી ટીમ આયોજન કરી રહી છે પક્ષાલ પુજા માટેનું આયોજનની સમય સૂચી (૧) તારીખ ૦૫-૦૫-૨૦૨૪ ને રવિવારે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, જોરાવરનગર (૨) તા. ૧૨-૦૫-૨૦૨૪ ને રવિવારે શ્રી શિતલનાથ સ્વામી જીનાલય, હેમાંજલી, જુના જકાતનાકા પાસે (૩) તા. ૧૪-૦૫-૨૦૨૪ ને મંગળવારે શ્રી વાસુપૂજ્ય જીનાયલ મોટા દેરસરજી
(૪) તા. ૧૯-૦૫-૨૦૨૪ ને રવિવારે શ્રી નેમીનાથ પ્રભુ જીનાલય, નેમેશ્વર દર્શન સોસાયટી, ઉદ્યોગનગર (૫) તા. ૨૬-૦૫-૨૦૨૪ ને રવિવારે શ્રી પાર્શ્વનાથ દાદા જીનાલય, રિદ્ધિ સિદ્ધિ દેરાસર, સુરેન્દ્રનગર (૬) તા. ૦૨-૦૬-૨૦૨૪ ને રવિવારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા જીનાલય રતનપર (૭) તા. ૦૯-૦૬-૨૦૨૪ ને રવિવારે શ્રી સીમંધર સ્વામી દેરાસર ૨૪ જીનાલય, ઘર હો તો એસા, કમળ મંદિર પાસે આયોજન કરવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!