JETPURRAJKOT

આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે ૧૩ ફેબ્રુઆરીએ ૩૦૦થી વધુ જગ્યાઓ માટે યોજાશે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો

તા.૯ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૯:૩૦ વાગ્યે ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ., આજી ડેમ પાસે, રાજકોટ ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં રાજકોટ જિલ્લાની નામાંકિત ૧૦ જેટલી ખાનગી એકમોનાં પ્રતિનિધિઓ રૂબરૂ હાજર રહી, ઉમેદવારોની પસંદગી કરશે. આ મેળામાં ૩૦૦ થી વધારે જગ્યાઓની ભરતી કરવા માટે વિવિધ આઈ.ટી.આઈ ટ્રેડમાંથી પાસ થયેલ ડિપ્લોમા અને ડિગ્રીધારકો તથા ગ્રેજ્યુએટસ વગેરેની પસંદગી કરવામાં આવશે.લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા, આધાર કાર્ડ, પાસપોર્ટ ફોટા, માર્કશીટ/સર્ટિફિકેટની જરૂરી નકલો સાથે રાજકોટ આઇ. ટી.આઇ સંસ્થા ખાતે રૂબરૂ હાજર રહેવા આઈ.ટી.આઈ.નાં આચાર્યશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!