તાહિર મેમણ : વર્લ્ડ મેમન ઓર્ગેર્નાઈઝેશન તથા આણંદ મેમણ જમાત દ્વારાધોરણ-૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓ ને બોર્ડ ની પરીક્ષામાં પ્રોત્સાહિત કરવા માટે પ્રોગ્રામ આજરોજ અલાના સ્કૂલ મુકામે યોજાયો હતો.
જેમાં મુખ્ય મહેમાન તરીકે હાજીયાણી રોશનબેન સંચાલક – અલાના સ્કુલ, મોયનુદ્દીન નાથાણી(રાજા મેમણ) ઝોનલ સેક્રેટરી ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન, અબ્દુલ રજ્જાકભાઈ (બંગડીવાળા) પ્રમુખ, આણંદ મેમણ જમાત, અશરફભાઈ મચ્છીવાલા (WMO, સીટી ચેરમેન આણંદ)
મેમણ પરવેજ સર. પ્રોફેસર, આશીફ સર, કાદરભાઈ મેમણ (પ્રમુખ, અશરફી મેમણ વેલ્ફેર ટ્રસ્ટ) તથા કાદર ભાઈ દોરાવાળા હાજર રહ્યા હતા.
અને પરવેજ સર તથા આશીફ સરે વિદ્યાર્થીઓને મોટીવેશન કર્યા હતા. અને પ્રસંગને અનુરૂપ પ્રવચનો આપ્યા હતાં. તથા આણંદ મેમણ જમાત તરફથી દરેક વિદ્યાર્થી ને પરીક્ષા કીટ આપવામાં આવી હતી.
અંતે આભારવિધી અશરફભાઈ મચ્છીવાળા એ કરી હતી.