14 – એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ભુજ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા,મહામંત્રી રમેશભાઈ ગાગલ, ભુજ તાલુકા મહામંત્રી પ્રવીણભાઈ ચૌહાણ, સંગઠન મંત્રી મનનભાઈ ઠક્કર, માધ્યમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ(ગ્રાન્ટેડ) અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, ઉપાધ્યક્ષ સુનિલભાઇ મહેશ્વરી, કોષાધ્યક્ષ કીતિઁભાઇ પરમાર, કારોબારી સભ્ય ચેતનભાઇ લાખાણી સહિતના હોદ્દેદારો જોડાયા હતા તેવું માધ્યમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ(ગ્રાન્ટેડ) પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ ની યાદીમાં જણાવાયું હતું.