રિપોર્ટર….
અમિન કોઠારી સંતરામપુર
સંતરામપુરમાં જવાલાજી મંદિરનો ચોથો પાટોત્સવ ધામધૂમથી સંપન્ન થયો.
મહીસાગર જિલ્લાના સંતરામપુર ગામે ભાટિયા સમાજ દ્વાર નિમાઁણ કરેલ તેમના કુળદેવી જવાલાજીના મંદિરનો ચોથો પાટોત્સવ ધમઁ પ્રેમી ભાટિયા સમાજના યુવાનો, વડીલો, બહેનો, અબાલવૃદ્ધોએ રંગેચંગે ધામધૂમથી ઉજવણી કરી ધામિઁક આનંદ અનુભવ્યો હતો.
સવારે માતાજીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ માતાજીની ધજારોહણ કરી, બગીમાં માતાજીની છબી સાથે દીવડાનાં માતાજી તથા શ્રી કાન્તીભાઈ ભાટિયા બિરાજમાન થઈ બેન્ડવાજા સાથે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવેલ તેમાં મોટી સંખ્યામાં સૌ જોડાયાં હતાં.
ત્યાર બાદ સૌએ પ્રસાદી ગ્રહણ કરી હતી.
અન્નકુટ દશઁન, નવચંડી યજ્ઞ તેની પૂણાઁહુતિ, મહાઆરતી અને સાંજે મહા પ્રસાદ માં ભાટિયા સમાજના સૌ ધમઁ પ્રેમી ભાવિક ભક્તો જોડાઈ આનંદ માણ્યો હતો.
ગામ, પરગામ, શહેરથી ભાટિયા સમાજના ભાવિકો સંતરામપુર આવી ધાર્મિક આનંદ અનુભવ્યો હતો.
સંતરામપુર ભાટિયા સમાજના વડીલોએ પાટોત્સવ આયોજકો અને સમાજના કાયઁકરંદા યુવાનો નો આભાર વ્યકત કરી તેમના કાયઁની સરાહના કરી હતી.