વિજાપુર ગોવિદપુરા જૂથ પંચાયત પાસે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હૃદય રોગ નિદાન કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
૧ લી મે એટલે ગુજરાતના સ્થાપના દિને વિજાપુર માં એપોલો હોસ્પિટલ,અમદાવાદ અને નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ, મહેસાણા – વિજાપુર તથા શ્રી ગાયત્રી ફાઉન્ડેશન સહિત GSRTC, વિજાપુર ના સહયોગથી એપોલો હોસ્પિટલ ના નિષ્ણાત ડોક્ટરો ની ટીમ સાથે કૃણાલબેન ઠાકર ના નેતૃત્ત્વ હેઠળ *વિનામૂલ્યે હૃદયરોગ નિદાન કેમ્પ* યોજાયો. જેમાં 137 થી વધુ લાભાર્થીઓ એ આ કેમ્પ નો લાભ લીધો. આ કેમ્પ માં APMC ચેરમેન કાંતિભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ,સરપંચ માધુભાઈ પટેલ, વિજાપુર એસ.ટી ડેપો મેનેજર ચૌધરી પરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો