JETPURRAJKOT

યાત્રાધામ વીરપુરમાં હાઈવે પરથી પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફ જતા નવા સીસી રોડનું ખાત મુહૂર્ત ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ કર્યું.

તા.૨૧ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

60 લાખ રૂપિયાના ખર્ચે હાઈવે થી પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફના સીસી રોડની કામગીરી શરૂ.

સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં હાઇવે પરથી પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફ જતો રસ્તો અતિ બિસમાર તેમજ ખાડા ખબડા અને ડામર ઉખડીને મસ મોટા ખાડાઓ પડી ગયા હતા જેમને લઈને યાત્રાધામના પ્રજાજનો અને દેશ વિદેશથી પૂજ્ય જલા બાપાના દર્શનાર્થે આવતા ભાવિકોને અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો, અનેકવાર આ રોડ રસ્તામાં મુસાફરો તેમજ યાત્રાળુઓના બાઇકો સ્લીપ થવાના તેમજ અકસ્માતના બનાવો પણ બન્યા છે

ત્યારે વીરપુરના ગોરધનભાઈ ધામેલીયા રાજકોટ દૂધ ડેરીના ચેરમેન તથા જનકભાઈ ડોબરીયા પૂર્વ આરોગ્ય ચેરમેન તેમજ વિરપુર ગ્રામ પંચાયતના યુવા સરપંચ રમેશભાઈ સરવૈયા તથા વિરપુરના જાગૃત યુવાનો અને ગ્રામવાસીઓએ તંત્રને તેમજ યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાને અવનવાર રજૂઆતો કરતા સરકાર દ્વારા રૂપિયા 60 લાખના ખર્ચે સાત મીટર પહોળા સીસી રોડનું આજે જયેશ રાદડીયાના હસ્તે ખાત મુર્હુત કરાયું હતું,

હાઇવે પરથી પૂજ્ય જલારામ બાપાના મંદીર તરફનો નવો બનાવવામાં આવતા આ રોડની લંબાઈ 550 મીટર અને પહોળાઈ 7 મીટર 150 એમએમ ઉંડાઈના સીસી રોડના ખાત મુહૂર્ત ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ આજે કર્યું હતું ,જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે વીરપુર એક જગ વિખ્યાત યાત્રાધામ છે જેમને લઈને દેશ વિદેશથી આવતા યાત્રાળુઓને આ રોડ નવો બનવાથી સુવિધાઓ મળી રહેશે અને ગ્રામજનોને પણ આ રસ્તો નવો બનવાથી અગાઉની મુશ્કેલીઓથી મુક્તિ મળશે જેમને લઈને વીરપુર આવતા યાત્રાળુઓ અને ગ્રામજનોમાં પણ ખુશીની લાગણી પ્રસરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!