૭૫ વર્ષિય વિધવા માતાનુ દિકરી સાથે મિલન કરાવતુ હિંમતનગનું `સખી’ વન સ્ટોપ સેન્ટર
વાત્સલ્યમ્ સમાચાર
સુરેશકુમાર ભરાડા-હિંમતનગર
૭૫ વર્ષિય વિધવા માતાનુ દિકરી સાથે મિલન કરાવતુ હિંમતનગનું`સખી’ વન સ્ટોપ સેન્ટર
નાની વયે પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થતા મહિલાની માનસિક સ્થિતિ સારી રહેતી ન હતી
સાબરકાંઠા જિલ્લામાં સખીવન સ્ટોપ સેન્ટર હિંમતનગર દ્રારા ૭૫ વર્ષિય વિધવા માતાનુ દિકરી સાથે મિલન કરાવી ખુબજ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
વિગત કંઇક એવી છે કે મહિલા હેલ્પલાઇન ૧૮૧ ધ્વારા માનસિક બિમાર મહિલાને સખી’ વન સ્ટોપ સેન્ટર હિંમતનગર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. મહિલા સાથે કાઉન્સેલિંગ કરતા તેઓ બનાસકાંઠાના હોવાના જાણવા મળ્યુ હતુ. વિગત મળતા જ મહિલાના ગામની શાળાના આચાર્યનો સંર્પક કરી વૃધ્ધ વિધવા મહિલાના પરીવારનો સંર્પક કરવામાં આવ્યો હતો. મહિલાના પરિવારમાં દિકરી સાથે ટેલીફોનિક વાત થતા વધુ જાણવા મળ્યુ કે તેમના પરીવારમાં ચાર દિકરીઓ છે. મહિલાના પુત્રનું નાની વયે અકસ્માતમાં મ્રુત્યુ થતા વૃધ્ધ વિધવા મહિલાની માનસિક સ્થિતિ સારી રહેતી ન હતી. આથી પરિવારમાં કોઈ ને પણ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા.
પરીવાર દ્વારા ટેલીફોનના માધ્યમથી માતાનો ફોટો મોકલી સતત મહિલાની શોધખોળ થતી હતી. છતાયં મહિલા કોઇ જગ્યાએથી ન મળતા પરિવારમાં ખુબ જ હતાશા અને દુ:ખ છવાયુ હતુ. આખરે માતા સુરક્ષા અને સલામતી સાથે સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગરમાં છે એની જાણ પરીવારને થતા પરિવારમાં ખુશીનો માહોલ ઉભો થયો હતો. પરિવારના સભ્યો દ્વારા ઘણત્રીના કલાકોમાં જ `સખી’ વન સ્ટોપ સેન્ટર હિંમતનગરમાં વુધ્ધ વિધવા માતાનો કબજો લેવા માટે પોહોંચી ગયા હતા. અને સખી’ વન સ્ટોપ સેન્ટરનો આભર માન્યો હતો.