આનંદનગર પ્રા.શાળાના પ્રિન્સીપાલ મહેશભાઈ મણવરે 11વર્ષ પૂર્ણ કરી 12માં વર્ષમાં મંગલ પ્રવેશ
1સપ્ટેમ્બર
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ તાલુકાના આવેલ આનંદનગર પ્રાથમિક શાળામાં છેલ્લા 11 વર્ષથી સેવા આપતા વાવ તાલુકાના ઉમેદપુરા ગામના મણવર મહેશભાઈએ આનંદ નગર પ્રાથમિક શાળામાં અગિયાર વર્ષથી સેવા આવે છે જેઓ બારમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો જેમાં શાળાના હરેક કાર્યોમાં અગ્રેસર રહી શાળામાં નિષ્ઠાપૂર્વક ભૂમિકા બજાવી છે જેમાં શાળાના બાળકો સાથેનો નાતો ઘરની જેમ નિભાવી રહ્યા છે બાળકોને હૂફ અને પ્રેમ સાથે લાગણી પણ આપી રહ્યાં છે.આજે આનંદ નગર પ્રાથમિક શાળા થરાદ ખાતે એચ. ટાટ તરીકે 11 વર્ષ પૂર્ણ કરી 12 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા શાળાના સ્ટાફ પરિવાર દ્વારા ચાંદીની ફોટો ફ્રેમ ઘડિયાળ અને સાલ દ્વારા તેમજ બનાસ બેંકના ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવેલ તે બદલ સ્ટાફ પરિવારનો ઋણી છું અને તમામ સ્ટાફને ખૂબ ખૂબ ખૂબ આભાર આચાર્યશ્રી આનંદ નગર પ્રાથમિક શાળા