જુનેદ પટેલ-ફતેપુરા
વાત્સલ્યમ્ સમાચાર
આર્ટ્સ કોલેજ ફતેપુરામાં તારીખ ૨૯/૦૮/૨૦૨૩ના રોજ ભારત સરકારના ફીટ ઇન્ડિયા” મુવમેન્ટ અંતર્ગત NSS,પંચપ્રકલ્પ,ફીજીકલ એજ્યુકેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. તેમાં નવજીવન સાયન્સ કોલેજ દાહોદ ના ફીજીકલ એજ્યુકેશનના પ્રોફેસર ડૉ વિરેન્દ્રકુમાર જે. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ફીટ ઇન્ડિયા-વિષય પર વ્યાખ્યાન આપ્યું તેમાં તેમણે સ્પોર્ટ્સ દ્વારા શારીરિક અને માનસિક મજબુત કઈ રીતે બની શકાય તેની PPTના માધ્યમ થી જ્ઞાન સભર માહિતી આપી હતી. અમારી કોલેજનાં ફીજીકલ એજ્યુકેશનના પ્રોફેસર ડૉ.વાય.જે.ચૌહાણ દ્વારા બધાજ વિદ્યાર્થીઓ અને સ્ટાફને ફીટ ઇન્ડિયાના શપથ લેવડાવ્યા હતા.