BANASKANTHAGUJARATPALANPUR

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર ખાતે નંદ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

6 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતી છે. જે દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથીએ ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આ દિવસે મધ્યરાત્રીએ થયો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રીકૃષ્ણનો જન્મ આ દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો.જન્માષ્ટમી હિંદુઓના વાર્ષિક તહેવારોના રૂપમાં ઉજવાય છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણનાં ગોકુળિયું સજાવે છે અને ઉપવાસ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણનું રાજ્ય એવી દ્વારકા નગરી અને એમનું જન્મ સ્થળ એવી મથુરાનગરીમાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે.શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ નંદ મહોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ હતી.આ પ્રસંગે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની બાલમંદિર થી લઈ કોલેજ કક્ષા સુધીના તમામ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સોળગામ લેઉવા પાટીદાર સમાજના વંદનીય વડીલશ્રીઓ,સામાજિક અગ્રણીઓ, સમાજના દાતાશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલ, મંત્રી જયંતીભાઈ ઘોડા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામી તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા ઉપસ્થિત તમામ વડીલોનું શાલ દ્વારા ઉષ્મા ભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.નંદ મહોત્સવના કાર્યક્રમના અંતે બાળ કૃષ્ણ અને બાળ ગોપીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ નું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકો તથા તમામ વડીલશ્રીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!