વિજાપુર શ્રાવણમાસ ના છેલ્લા દિવસે વેરાવાસણ માં આવેલ આનંદેશ્વર મહાદેવ ખાતે પ્રસાદી વિતરણ કરાઈ ભક્તો ની જામી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના વેરાવાસણ ખાતે આવેલ આનંદેશ્વર મહાદેવ ના પૌરાણિક મંદિર ખાતે શ્રાવણ માસ દરમ્યાન સતત દર્શન માટે ભક્તો ની ભીડ જામી હતી જ્યારે મંદિર ના મંડળ દ્વારા વિવિધ ડેકોરેશન થી મહાદેવ શણગારવા માં આવ્યા હતા મંદિર ના મહારાજ દિલીપદાસજી રાવલ દ્વારા સતત શ્રાવણ માસ દરમ્યાન શિવ પુરાણ નુ આખ્યાન તેમજ પૂજાપાઠ કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા પ્રસાદી નુ વિતરણ મહેન્દ્ર ભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સંકેત પંડ્યા તેમજ ભાવેશભાઈ દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસ અમાસ ના રાત્રીના દર્શન માટે ઉમટેલા ભક્તો ને પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું હતુ આ અંગે મંદિર ના ટ્રસ્ટી ભુપેન્દ્રભાઈ દેસાઈ તેમજ નવીનચંદ્ર પંડ્યા એ જણાવ્યું હતુંકે વેરાવાસ માં આવેલ આનંદેશ્વર નુ મંદિર પૌરાણિક અને ચમત્કારિક જગ્યા છે અહીં દર શ્રાવણ માસ માં વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે ગોકુળ આઠમ ના દિવસે તો ભક્તો ની ભારે ભીડ રહે છે અહીંના લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસના અમાસ ની રાત્રીએ પ્રસાદી નુ તેમજ શિવ સ્તુતિ સાથે પુર્ણાહુતી કરવામાં આવી હતી
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.