GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જિલ્લાની ડીસ્ટ્રીક ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ કચેરી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજદાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ એસએલપી રદ

તારીખ ૦૬/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે આવેલ ડીસ્ટ્રીક ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ અધિકારીની કચેરીમાં તારીખ ૧/૪/૨૦૦૨ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ખુમાભાઇ પરમાર ને કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય આઈડી એક ની કલમ ૨૫ એચ અને ૨૫ એફ નો ભંગ કરી લાંબા સમયની નોકરીમાંથી તારીખ ૧/૩ ૨૦૦૮ ના રોજ મૌખિક રીતે છુટા કરી દીધેલા હતા જે બાબતે અરજદારને અન્યાય થતા તેઓએ ન્યાય મેળવવા ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઇ નો સંપર્ક કરી નામદાર મજૂર અદાલત ગોધરા સમક્ષ પડેલા દિવસોના પુરા પગાર સહિત મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવા અંગેનો વિવાદ નામદાર મજૂર અદાલત ગોધરા સમક્ષ દાખલ કરેલ જે કેસ નંબર એલ સી જી ૧૦૪/૦૮ પડેલ જે કેસ ચાલી જતા અરજદાર તરફે ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈ હાજર રહી કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરતા બંને પક્ષકારોની દલીલો સાંભળી તારીખ ૮/૫/૧૫ ના રોજ અદાલત ના પ્રમુખ અધિકારી સી એલ છાયા સાહેબ દ્વારા અરજદારને તેમની મૂળ જગ્યાએ નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ ફરમાવેલ જે આદેશથી નારાજ થઈ સરકારશ્રી દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન નંબ ર૨૧૦/૧૬ દાખલ કરવામાં આવેલ જે કામે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજદાર તરફે એડવોકેટ દીપક આર દવે હાજર રહેલ આમ બંને પક્ષકારોની દલિત સાંભળી ન્યાયમૂર્તિ શ્રી વિપુલ એમ પંચોલી સાહેબે તારીખ ૨૬/૪/૨૨/રોજ આદેશ કરતા મંજુર અદાલત ગોધરા ખાતે હુકમ યથાવત રાખેલ તે હુકમથી નારાજ થઈ સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ એલ પી નંબર ૨૧૫/૨૩ દાખલ કરવામાં આવેલ જે કેસ ચાલી જતા ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ માનનીય શ્રી આશુતોષ શાસ્ત્રી સાહેબ તથા જે સી દોશી સાહેબ દ્વારા તારીખ ૨૨/3/૨૩ ના રોજ એસ સી એ નો નો હુકમ યથાવત રાખતો આદેશ કરેલ જે આદેશથી નારાજ થઈ સરકાર દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ દિલ્હી સમક્ષ એસ એલ પી નં. ૧૫૦૭૫/૨૪ દાખલ કરવામાં આવેલ જે અરજી ચાલી જતા સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયમૂર્તિ હિમા કોહલી તથા અસાનુદ્દીન અમાનુઉલ્લા સાહેબ દ્વારા સરકાર દ્વારા અરજદાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ એસ એલ પી અરજી તારીખ ૧૯/૪/૨૪ના રોજ ડીસમિસ કરતો આદેશ ફરમાવતા અરજદાર અશોક પરમાર ને ૧૬ વર્ષ પછી તેમની મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવા અંગે નાયબ નિયામક જમીન દફતર વડોદરા દ્વારા ફરજ ઉપર હાજર થવા અંગે નો હુકમ તારીખ ૪/પ/૨૪ ના રોજઆપવામાં આવતા અરજદાર ને તા. ૪ /૫ /૨૪ ના રોજ થી ફરજ ઉપર હાજર કરવામાં આવેલ છે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ થકી સરકારી કચેરીના અધિકારીઓમાં સન્નાટો તથા અરજદારના પરિવારમાં આનંદ છવાયો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!