Bhanvad : ભાણવડથી સ્મશાન રોડનું ખાતમુહૂર્ત કરતા કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા
આ રસ્તાનું નિર્માણ થતાં નાગરિકોને તેમજ ખેડૂતોને સરળતા રહેશે – કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
ભાણવડથી સ્મશાન (ત્રિવેણી સંગમ સ્થાન) જવા માટે અંદાજીત ૨૪૫ લાખના ખર્ચે રોડ બનાવવામાં આવશે. જેનું આજરોજ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભાણવડથી સ્મશાન (ત્રિવેણી સંગમ સ્થાન) રોડ બનાવવામાં આવશે. આ રોડથી જાહેર જનતાને તેમજ ખેડૂતોને ઘણી સરળતા રહેશે. રસ્તાની ક્વોલિટી સારી હોય તે જરૂરી છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, તા. ૧ ઓકટોબરના રોજ મહાશ્રમદાન અભિયાન યોજાનાર છે. ત્યારે આપણે સૌ અભિયાનમાં જોડાઈએ. આ તકે અગ્રણીશ્રી સાજણભાઈ રાવલિયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
આ તકે ઇન્ચાર્જ મામલતદારશ્રી જલપેશ બાબરીયા, અગ્રણીશ્રી ગોવિંદભાઈ કનારા, ચેતનભાઈ રાઠોડ, વી. ડી. મોરી, મેઘજીભાઈ, દેવશીભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.