IDARSABARKANTHA

Idar : ઈડરના એક વર્ષિય રાજકુમારને આર.બી.એસ.કે. ટીમ દ્વારા નવજીવન મળ્યું

ઈડરના એક વર્ષિય રાજકુમારને આર.બી.એસ.કે. ટીમ દ્વારા નવજીવન મળ્યું

પરપ્રાંતિય માતા પિતાને ગુજરાત સરકારની સંવેદનશીલતાનો અનુભવ થયો

છૂટક મજૂરી કરી જીવન ગુજારતા પરિવારના પુત્રનું જન્મજાત હૃદય ની બીમારી નું નિશુલ્ક ઓપરેશન કરાયું

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે રહી છૂટક મજૂરી કરતા પરપ્રાંતિય ક્રિષ્નાબેન અને વનરાજભાઈ વર્માના ૬ માસના પુત્ર રાજકુમારને આર.બી.એસ.કે ટીમ દ્વારા જન્મજાત હૃદય સંબંધિત તકલીફ માંથી મુક્ત કરાવી નવજીવન અપાયું

ઇડર ખાતે રહી છૂટક મજૂરી કરતા પરપ્રાંતીય વનરાજભાઈ અને તેમની પત્ની ક્રિષ્નાબેનને ઘરે એક વર્ષ અગાઉ પુત્રનો જન્મ થયો હતો. જન્મ બાદ રાજકુમાર વારંવાર બિમાર રહેતા છ મહિનાનો હતો ત્યારે ઈડરની વિજયનગર સોસાયટી ની આંગણવાડી ખાતે આર.બી.એસ.કે ટીમ દ્વારા તપાસ કરતા તેની હૃદય સંબંધી બિમારી હોવાનું જણાતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે વધુ ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું હતું. જ્યાં તેની જન્મજાત હ્રદય સંબંધિત બિમારી જણાત તાત્કાલિક યુ એન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવા જણાવ્યું હતું.

યુ એન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે તપાસ કરાવતા બાળકને બાળપણથી જ હૃદય સંબંધી બિમારી જણાતાં તાત્કાલિક ઓપરેશન કરાવવા જણાવ્યું હતું. જ્યાં બાળકનું ઓપરેશન નિ: શુલ્ક કરવામાં આવ્યું અને ત્યારબાદ આર.બી.એસ.કે ની ટીમ દ્વારા બાળકને સાર સંભાળ લેવાઈ હતી. આ બાળક હાલ એક વર્ષનું થયું છે,હાલ રાજકુમાર તંદુરસ્ત છે તેના તમામ રિપોર્ટ નોર્મલ છે અને તેની તબિયત સુધારા ઉપર છે.

માતા ક્રિષ્નાબેન અને પિતા વનરાજભાઈ જણાવે છે કે, તેઓ પરપ્રાંતીય હતા તેમની જોડે જરૂરી સાધનિક પુરાવા ન હોવા છતાં પણ માનવતાના ધોરણે ઈડર આર.બી.એસ.કે ની ટીમ દ્વારા તેમને ખૂબ જ મદદ કરી અને તેમના બાળકને તાત્કાલિક સારવાર અપાઈ જેના કારણે આજે તેમનું બાળક સ્વસ્થ છે જેના માટે તેઓ અને તેમના પરિવાર ગુજરાત સરકારનો અને આરોગ્ય વિભાગનો ખૂબ ખૂબ આભારી છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!